હૃદયસ્થ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી
(પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત)
ને ભાવભર્યું નમન.
શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ
૧૭ ડિસેમ્બર, 1994 થી સેવા, સંસ્કાર, શિક્ષણ અને સમાજ ઉત્થાન
(પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત)
ને ભાવભર્યું નમન.
શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ
17 ડિસેમ્બર, 1994ના રોજ સમાજના આર્થિક રીતે નબળા, વંચિત અને જરૂરિયાતમંદ બાળકો, મહિલાઓ તથા પરિવારોના સર્વાંગી વિકાસના હેતુથી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
12 જાન્યુઆરી, 1995થી રેગ પીકર (કચરો વીણતા) અને રસ્તા પર જીવન જીવતા બાળકો માટે શિક્ષણ અને પુનર્વસનનો વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
છેલ્લા ત્રણ દાયકાથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, બાળ વિકાસ અને સમાજસેવાના અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે.
ટ્રસ્ટ દ્વારા હજારો બાળકો, મહિલાઓ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટની સ્થાપના, વિકાસ અને સેવા યાત્રામાં હૃદયસ્થ પૂર્વ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીનો અમૂલ્ય ફાળો, માર્ગદર્શન અને સતત સહયોગ રહ્યો છે.
મા. શ્રી વિજયભાઈ રૂપાણીની સેવાભાવના, માનવતા અને સમાજ કલ્યાણની ભાવનાએ ટ્રસ્ટને નવી દિશા અને મજબૂત ઓળખ આપી છે.
હૃદયસ્થ મા. શ્રી વિજયભાઈ રૂપાણીના સેવા અને સમાજ ઉત્થાનના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પ સાથે ટ્રસ્ટ હવે "શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ" નામથી કાર્યરત રહેશે.
ટ્રસ્ટ રાજકોટ સહિત સમગ્ર સમાજમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને માનવસેવાના કાર્યોને વધુ વ્યાપક અને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
"સેવા, સંસ્કાર, શિક્ષણ અને સમાજ ઉત્થાન" એ ટ્રસ્ટના કાર્યનું મૂળ ધ્યેય છે.
શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ હૃદયસ્થ મા. શ્રી વિજયભાઈ રૂપાણીને સમર્પિત એક જીવંત શ્રદ્ધાંજલિ છે, જે તેમના આદર્શો અને સેવાકીય વિચારોને સતત આગળ વધારશે.